![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/08/મીઠા-હાઇવેની-ઝેટકો-કોલોની.jpeg)
થરાદ મીઠા હાઇવેની જેટકો કોલોનીમાં ૧૦ બ્લોકનાં તાળાં તુટતાં ફફડાટ
થરાદ મીઠા હાઈવે પર ૨૨૦ કેવી સબ સ્ટેશન કોલોની આવેલી છે. જેના દરવાજે સિક્યુરિટી ગાર્ડનો પહેરો હોવા છતાં પણ ત્રણ માળના દસ બ્લોકનાં તાળાં તુટતાં પોલીસ દોડતી થવા પામી હતી. ત્રણ ખાલી પડ્યાં છે જ્યારે ચારની બદલી થતાં માત્ર સરસામાન જ પેક પડ્યો છે. આથી બાકીનાં ત્રણેક મકાનોમાં કદાચ ચોરી થયાની આશંકા છે.
પરંતુ પરિવારો રજાઓમાં વતન ગયેલ હોવાથી કોઇ જાણકારી મળી શકી ન હતી. થરાદ મીઠા હાઇવે પર દરવાજે સિક્યુરીટીથી સજ્જ અને ચારે બાજુ મોટી દિવાલની કોર્ડન ધરાવતી ૨૨૦ કેવી સબ સ્ટેશન કોલોનીમાં વિજકંપનીના પરિવારો રહે છે. જેમાં કર્મચારીઓએ શુક્રવારના સવારના સુમારે તાળાં તુટ્યાં હોવાની સિક્યુરીટીગાર્ડને જાણ કરી હતી. આથી તેમણે તપાસ કરતાં ભોંયતળીયે તથા પ્રથમ અને બીજા માળે આવેલા જુના અને નવા બ્લોકનંબર ૧,૬,૭,૧૧,૧,૨,૫,૨,૪,૬ ના નકુચા,તાળાં અને હડા તુટેલા હોવાનું તથા તેમાં રહેલ તમામ સરસામાન વેરવિખેર હોવાનું જાણવા મળ્યું હતું. જો કે તેમાં રહેતા મોટાભાગના પરિવારો રજાઓમાં વતન ગયેલ હોવાના કારણે કોના ત્યાં કેટલી ચોરી થઇ તે અંગે કોઇ જાણકારી મળી શકી ન હતી.
આ બનાવ બાબતે જાણ કરવામાં આવતાં થરાદ પોલીસ દોડી આવી હતી. અને સિક્યુરિટી ગાર્ડનું નિવેદન લઇ અરજીથી રજીસ્ટરે નોંધ કરી હતી. આ બનાવ અંગે તપાસકર્તા પોલીસકર્મચારી નરેશભાઇએ મોડી સાંજે જણાવ્યુંહતું કે તાળાં તુટેલ દસ બ્લોક પૈકી મોટાભાગના કર્મીઓની તાજેતરમાં જ બદલીઓ થઇ ગયેલી છે. જેથી ત્રણ બ્લોક તો બિલકુલ ખાલી છે. જ્યારે ચારનો સરસામાન લઇ જવા માટે પેક કરાયેલ છે. આથી તેમાંથી કોઇપણ પ્રકારની ચોરીની શક્યતા નહીવત છે. જો કે બાકીના ત્રણ કર્મીઓ પરિવાર સાથે રહેતા હોઇ તેમાં ચોરી થઇ હશે કે કેમ તે પરિવારો હાજર નહી હોવાથી જાણી શકાયું નથી. પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ બનાવને લઇને શહેરમાં ભય સાથે ફફડાટની લાગણી પ્રસરવા