ઈકબાલગઢમાં માળી સમાજના નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યાં

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના બાલુન્દ્રા તેમજ ઈકબાલગઢ નજીક આવેલા પૌરાણિક મંદિર વિશ્વેશ્વર મહાદેવ મંદિરનાં પ્રાંગણમાં કીર માળી સમાજ દ્વારા ધર્મશાળાનું ઉદ્ધાટન તેમજ સમુહલગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગુજરાત, રાજસ્થાન મારવાડ ગોડવાડના કીર માળી સમાજના લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા.

બનાસકાંઠા જિલ્લામાં માળી સમાજ દ્વારા સમુહલગ્ન મહોત્સવ પહેલી વખત યોજાયું હતું. જેમાં નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. જ્યારે તેમને આશીર્વાદ આપવા ભાજપ તેમજ કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા. જેમાં દાંતા વિધાનસભાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સમાજ આગેવાન શામળભાઈ માળી મહાદેવીયા ગોવિંદ ચૌહાણ તેમજ મોટી સંખ્યામાં યુવાઓ હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.