ઇકબાલગઢમાં અંતિમક્રિયા માટે મૃતદેહ લઈ લોકો ગંદકીમાંથી પસાર થવા મજબૂર
બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢમાં ડેરી ગામ તરફથી આવી રહેલો રોડ ઉપર ઘણા સમયથી ખરાબ હોવાના કારણે અવર જવર કરતા લોકો ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. વરસાદ પડતા આ રોડ રસ્તા ઉપર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સ્થાનિક લોકોએ અનેક વાર રજૂઆત કરવા છતાં ઈકબાલગઢ ગ્રામ પંચાયતની બેદરકારી દાખવતા વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. આજે એક અંતિમ ક્રિયા માટે મૃત્યુદેહ રસ્તામાં પહેલા પાણી અને ગંદકીમાંથી પસાર થઈને લોકો નીકળવા મજબૂર બન્યા હતા. મૃતદેહને લઈ ગંદકીમાંથી પસાર થતા લોકોએ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, જેને લઈ સ્થાનિકોમાં રોષ જોવામાં મળી રહ્યો છે.
અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં ગ્રામ પંચાયત દ્વારા રોડ-રસ્તાની બેદરકારીને દાખવતા વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. ઇકબાલગઢમાં વરસાદી પાણી ભરાવાથી લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં આજે એક અંતિમ ક્રિયા માટે મૂર્તદેહ લઈ લોકો રોડ પર ભરાયેલા પાણી અને ગંદકીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા. મૂર્તદેહને લઇ ગંદકીમાંથી પસાર થતા સ્થાનિક લોકોએ વીડિઓ વાયરલ કર્યો હતો.