ડીસામાં પાર્લર આગળ ઉભા રહેવા બાબતે બોલાચાલી થતા યુવક પર હુમલો

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસામાં જલારામ મંદિર પાસે પાર્લર આગળ લગાવેલા બોર્ડ પાસે ઉભા રહેવા બાબતે બોલાચાલી થતા યુવક પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં પાર્લર માલિક સહિત ચાર શખ્સોએ પાઇપ વડે હુમલો કરતા લોહી લુહાણ થયેલ યુવકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

ડીસામાં રિજમેટ વિસ્તારમાં રહેતો આકાશ ઠાકોર નામનો યુવક સેન્ટીંગનું મજૂરી કામ કરી કરે છે અને તે મજૂરીકામના પૈસા લેવા માટે શેઠની રાહ જોઇને જલારામ મંદિર પાસે આવેલા રામદેવ પાર્લર આગળ લગાવેલા રામદેવ ટ્રાવેલ્સ બોર્ડ પાસે ઉભો હતો. તે સમયે રામદેવ પાર્લરના માલિક અજય રાજપૂતે તેને બોર્ડ પાસેથી દૂર ઊભું રહેવા જણાવ્યું હતું અને ઊભા રહેવાની વાતચીત કરતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. તે સમયે ઉશ્કેરાયેલા અજય રાજપૂત સહિત ચાર શખ્સોએ પાઇપ પડે આકાશ પર જીવલેણ હુમલો કર્યો હતો. માથાના ભાગમાં અને પગના ભાગે પાઇપના ફટકા વાગતા યુવક લોહી લુહાણ થઈ નીચે પટકાયો હતો.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.