ધાનેરામાં ધાર્મિક પ્રસંગોમાં મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજાયા
ધાનેરામાં વધુમાં વધુ મતદાન થાય જ્યાં અગાઉ ઓછું મતદાન થયું છે તેવા વિસ્તારોમાં સરકારી કર્મચારીઓ દ્વારા સ્વિપ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.
બનાસકાંઠા જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણીમાં મતદારો વધુમાં વધુ મતદાન કરે એ હેતુથી ધાનેરા તાલુકાના સ્વીપ કામગીરી અંતર્ગત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જાગૃતિબેન દેસાઈ, સી.આર.સી.ત્રિકમભાઈ પાન્ડે, વશરામભાઇ પટેલ, પ્રવિણભાઇ પટેલ દ્વારા વિવિધ મતદાન જાગૃતિ લક્ષી કાર્યક્રમો નિયમિત કરવામાં આવી રહ્યાં છે. ખાસ કરીને યુવા મતદારો, સ્ત્રી અને વૃદ્ધ મતદારોને જાગૃત કરવા માટે યોજાતા ધાર્મિક પ્રસંગોમાં મતદાન જાગૃતિ અંગે લોકોને માહિતગાર કરી,ઓડિયો ક્લિપ સંભળાવી મતદાન કરવા અંગે ના સંક્લ્પ લેવડાવવામાં આવે છે તથા જે બૂથ પર ઓછું મતદાન થયેલ હોય ત્યાં મુલાકાત કરીને મતદાન જાગૃતિ અંગે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.