ધાનેરામાં રસ્તા વચ્ચેની દીવાલ મામલે બે સોસાયટીના લોકો આમને-સામને આવી ગયા
રખેવાળ ન્યુઝ ધાનેરા
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં રસ્તાને લઈને બે સોસાયટીના લોકો આમને-સામને આવી જતાં વાતાવરણ તંગ બની ગયું હતું.
એક તરફ કોરોનાને લઈને સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ધાનેરા શહેરમાં મધુસુદન વીલા અને પ્રગતિનગરના લોકો રસ્તામાં ચણવામાં આવેલ દીવાલને લઈને આમને સામને આવી ગયા હતા. મધુસુદન વીલાના લોકોનું કહેવું છે કે જે રસ્તો હતો તે રસ્તો પર દિવાલ બનાવી દેવામાં આવી છે તો બીજી તરફ પ્રગતિનગર સોસાયટીના લોકોનું કહેવું છે કે આ રસ્તો હતો જ નહીં આ સમગ્ર મામલાને લઈને ધાનેરા નગરપાલિકાએ બંને પક્ષો પાસેથી ડોક્યુમેન્ટ મંગાવ્યા હતા અને અત્યારે નગરપાલિકા આ બંને સોસાયટીના ડોક્યુમેન્ટનો અભ્યાસ કરી રહી છે ત્યારે હવે જોવાનું એ રહેશે ત્યાં રસ્તો ખુલે છે કે પછી આ રસ્તો પર દિવાલ યથાવત રહે છે એ તો આવનારો સમય બતાવશે.