![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/05/img-6.jpg)
ડીસામાં શ્વાનોને પૌષ્ટિક ખિચડી દૂધ ખવરાવવાનું સદાવ્રત
રખેવાળ, ડીસા
જીવદયા એજ સાચી પ્રભુભક્તિ સૂત્રને સાર્થક કરતાં ડીસાના હર્ષદભાઈ સોનીએ શ્વાનો માટે પૌષ્ટિક ખિચડી દૂધ ખવરાવવાનું સદાવ્રત શરૂ કર્યું છે. તેઓ છેલ્લા બે મહિનાથી ડીસા શહેરમાં રખડતા શ્વાનોને રોજ સાંજે દોઢસો કિલો ખિચડી અને 20 લિટર દૂધ ખવરાવી જીવદયાનું પ્રેરણાદાઈ કાર્ય કરી રહ્યા છે અને તેઓએ આ સદાવ્રત રોજ ચાલુ રાખવાની જણાવી આ કાર્ય માટે ધર્મપ્રેમી જનતાને સહયોગ આપવા પણ અપીલ કરી છે.