બનાસકાંઠામાં સંયુક્ત કર્મચારી મોરચાના કર્મચારીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લા ના ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો દ્વારા જિલ્લા કલેકટર સહિત જિલ્લાના ધારાસભ્યોને ત્રણ જેવા પડતર પ્રશ્નોને લઈ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે જેમાં માંગણી ઉપર ગંભીરતાપૂર્વક વિચારધારા કરવામાં અને મુખ્યમંત્રીને પહોંચાડવા રજૂઆત કરી હતી.ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા છેલ્લા ઘણા સમયથી કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈ સરકાર સામે લડત ચલાવી રહ્યું છે

જેમાં 2005 પહેલા ભરતી થયેલ કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા, 2005 પછી ભરતી થયેલ કર્મચારીઓને સીપીએફમાં 10% ને બદલે 14 ટકા વળતર આપવુ, તેમજ 45 વર્ષની વય મર્યાદા બાદ શિક્ષકોને પરીક્ષામાંથી મુક્તિ આપવા સહિત ત્રણ પ્રશ્નો મામલે અગાઉ સરકાર ખાતે સમાધાન થયું હતું. તેમ છતાં સરકારે હજુ સુધી આ મામલે કોઈ જ ઠરાવ ન કરતા ફરી એકવાર ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાએ સરકાર સામે વિરોધ દર્શાવ્યો છે.જેમાં આજે બનાસકાંઠા જિલ્લામાં પણ સંયુક્ત કર્મચારી મોરચાના પ્રમુખ સંજયભાઈ દવે, મહામંત્રી હેમંત વી પંચીવાલા સહિત કર્મચારીઓએ જિલ્લા કલેકટરને રૂબરૂ મળી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સંબોધીને આવેદનપત્ર આપ્યું હતું અને સરકાર સાથે સમાધાન થયેલ ત્રણ પ્રશ્નોના ઉકેલ લાવવા માટે રજૂઆત કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.