બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમયથી ગેરહાજર રહેતા 9 શિક્ષકોને બરતરફ કરી દેવાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં સરકારી શાળાઓમાં ફરજ બજાવતા અને લાંબા સમયથી ગેરકાયદે રીતે ગેરહાજર રહેતા શિક્ષકો સામે તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી છે. સરકારી શાળામાં નોકરી બોલતી હોય અને શિક્ષકો વિદેશ પહોંચી ગયા હોય તેવા પણ કેટલાક બનાવો સામે આવ્યા બાદ સરકાર એલર્ટ બની હતી અને કડક કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમયથી ગેરહાજર રહેતા 9 શિક્ષકોને બરતરફ કરી દેવાયા છે.

બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ બનાસકાંઠા જિલ્લામાં એક બાદ એક શિક્ષકો બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેતા નવ જેટલા શિક્ષકોને 2006 ના ઠરાવ મુજબ બરતરફ કરવામાં આવ્યા છે. જેમાં શિક્ષકો સતત ગેરહાજર રહેવાના કારણે તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા નોટિસો આપવામાં આવી હતી જે બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તેમના ઉપર શિક્ષાત્મક કાર્યવાહી કરતા તેમને બરતરફ કરવામાં આવ્યા છે.

આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં કેટલાક શિક્ષકો એક વર્ષ કરતા વધુ સમયથી બિનઅધિકૃત ગેરહાજર રહેલા તેમને તાલુકા કક્ષાએ જરૂરી નોટિસ આપવામાં આવેલી હતી. તે નોટિસના ખુલાસા આધારે તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા અત્રેની કચેરી ખાતે જુલાઈ મહિનામાં દરખાસ્ત કરવામાં આવેલ હતી. કચેરી ખાતેથી શિક્ષકોને નોટિસો આપી એમના ખુલાસા ને આધીન 9 જેટલાં શિક્ષક એક વર્ષ કરતા વધુ સમયે બિનઅધિકૃત રીતે ગેરહાજર હતા એમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાવ માવી છે 2006 ના ઠરાવ મુજબ 9 શિક્ષકો ને બિનઅધિકૃત ગેરહાજરીના દિવસ થી એમને બરતરફ કરાવાના હુકમ કરવામાં આવેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.