બનાસકાંઠામાં કોરોનાના કેસમાં સતત વધારો, વધુ ૧૦૭ કેસ સામે આવ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

જિલ્લામાંથી આરોગ્ય વિભાગ દ્વારા ૩૯૦૧ સેમ્પલ લેવાયા : ૧૧૨૪ એક્ટિવ કેસ

(રખેવાળ ન્યૂઝ)પાલનપુર, બનાસકાંઠા જિલ્લામાં બેકાબુ બનેલા કોરોનાની ગતિ આજે રવિવારે મંદ પડી હતી. જેથી ગઈકાલે બીજી બેવડી સદી ફટકારનાર કોરોનાના આજે ૧૦૭ પોઝીટીવ કેસ નોંધાયા હતા. જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે ૩૯૦૧ સેમ્પલ લેવાયા હતા. જેમાંથી ૧૦૭ પોઝીટીવ કેસ સાથે ૮૫ દર્દીઓ ડિસ્ચાર્જ થવાની સાથે જિલ્લા માં ૧૧૨૪ એક્ટિવ કેસ હોવાનું આરોગ્ય વિભાગ ના સૂત્રોએ જણાવ્યું હતું.

બનાસકાંઠા જિલ્લામાં તોફાની બેટિંગ કરનાર કોરોનાએ ગતરોજ બીજી બેવડી સદી ફટકાર્યા બાદ આજે કોરોનાની રફતાર ધીમી પડતા જિલ્લા માં આજે ૧૦૭ પોઝીટીવ કેસ નોંધાયા હતા. જેમાં જિલ્લા મુખ્યાલય પાલનપુરમાં ૪૪, ડીસા ૨૭, દાંતા ૦૯, દાંતીવાડા ૦૯, ધાનેરા ૦૨, કાંકરેજ ૦૫, લાખણી ૦૩, થરાદ ૦૨, વડગામ ૦૩ અને વાવમાં ૦૩ કેસ નોંધાયા હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

બનાસકાંઠા જિલ્લામાં બેકાબુ બનેલા કોરોના આજે રવિવારે ધીમો પડતા જિલ્લામાં આજે ૧૦૭ જેટલા કોરોના પોઝીટીવ કેસ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

દરમિયાન, આજે ૩૧૪૧ આરટીપીસીઆર અને ૭૬૦ એન્ટીજન મળી કુલ ૩૯૦૧ સેમ્પલ લેવાયા હતા. જેમાં બનાસકાંઠામાં ૧૦૭ કોરોના પોઝેટીવ હોવાનું અને ૮૫ કોરોના સંક્રમિત વ્યક્તિને ડિસ્ચાર્જ કરવાની સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવના ૧૧૨૪ કેસ એક્ટિવ હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.