બનાસકાંઠામાં કોરોનાનો કહેર યથાવત : વધુ ૩૯ કેસ નોંધાયા
રખેવાળ ન્યુઝ પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં ગુરવારે કોરોનાનો વિસ્ફોટ થયો હતો. જ્યાં વધુ ૩૯ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેની સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૧૪૮૦ એ પહોંચી ગઈ છે. જ્યારે એક દર્દીનું મોત નિપજ્યું હતું.
સરહદી બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. જ્યાં ગુરુવારે પણ કોરોનાનો વિસ્ફોટ થયો હતો. જ્યાં વધુ ૩૯ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેની સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંકડો ૧૪૮૦ પર પહોંચ્યો છે.
આ અંગે આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, જિલ્લામાં કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો ૧૪૮૦ પહોંચ્યો છે. જ્યારે કોવિડ હોસ્પિટલમાં એક દર્દીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જેની સાથે કુલ મૃત્યુઆંક ૫૬ પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠામાં કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે. જેના પગલે પ્રજાજનોમાંં ફફડાટ પ્રસરી ગયો છે.