અંબાજી મહામેળામાં પદયાત્રીઓનો ઘસારો વધ્યો, જય અંબેના નાદ સાથે અનેક રસ્તોઓ ગુંજી ઉઠ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

અંબાજી તરફ જનારા પદયાત્રીઓનો ધસારો છેલ્લા બે દિવસથી વધવા લાગ્યો છે. અંબાજીને જોડતા તમામ માર્ગો પર અંબાજી પદયાત્રી ભક્તોની ભીડથી જ ઉભરાતો જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં થઈને મોટી સંખ્યામાં ભક્તો અંબાજી તરફ આગળ વધી રહ્યા છે. પદયાત્રીઓને માટે માર્ગમાં સરકારી તંત્ર હોય કે સ્થાનિક સેવાભાવી લોકો સતત ખડેપગે સેવા કરવા માટે તૈયાર ઉભા છે.

અંબાજી તરફ જનારા પદયાત્રીઓનો ધસારો છેલ્લા બે દિવસથી વધવા લાગ્યો છે. અંબાજીને જોડતા તમામ માર્ગો પર અંબાજી પદયાત્રી ભક્તોની ભીડથી જ ઉભરાતો જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં થઈને મોટી સંખ્યામાં ભક્તો અંબાજી તરફ આગળ વધી રહ્યા છે. પદયાત્રીઓને માટે માર્ગમાં સરકારી તંત્ર હોય કે સ્થાનિક સેવાભાવી લોકો સતત ખડેપગે સેવા કરવા માટે તૈયાર ઉભા છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી પસાર થતા માર્ગો પરથી અંબાજી પદયાત્રીઓનો ધસારો મોટી સંખ્યામાં અંબાજી તરફ આગળ વધી રહ્યો છે. હવે જેમ જેમ ભાદરવી પૂર્ણિમા નજીક આવી રહી છે, એમ ભક્તોની ભીડમાં વધારો જોવા મળી રહ્યો છે. ભક્તોની ભીડ જય અંબેના નાદ સાથે આગળ વધી રહી છે. કોઈ માનો રથ ખેંચીને ભક્તિનો આનંદ રહી રહ્યુ છે, તો કોઈ હાથમાં ધજા લઈને ભક્તિનો આનંદ મેળવી રહ્યુ છે. તો વળી સેવા ભાવી લોકો થાક્યા વિના પદયાત્રીઓને દરેક જરુર માટે મદદ કરવા માટે ખડે પગ રહેતા નજર આવતા હોય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.