દાંતીવાડાના આકોલીમાં સંતાન ન થતાં પતિના ત્રાસથી પત્નીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

દાંતીવાડાના આકોલીમાં રહેતી પરિણીતાને સંતાન ન થતાં પતિ દ્વારા શારીરિક-માનસિક ત્રાસ અપાતો હતો. જેને લઇ ગુરુવારે સવારે પરિણીતાએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હતું. આ અંગે પાંથાવાડા પોલીસ મથકે પરિણીતાના પતિ સામે દુસ્પ્રેરણનો ગૂનો નોંધાયો હતો.

દાંતીવાડાના આકોલીમાં રહેતા સુખીબેન (ઉં.વ.40)ને લગ્નના અગિયાર વર્ષ થવા છતાં સંતાન ન થતાં તેમના પતિ નાગજીભાઇ સોનાજી ઓઢવીયા (ઠાકોર) મહેણાં-ટોણાં મારી શાસીરિક અને માનસિક ત્રાસ આપી મારઝૂડ કરતાં હતા. જેથી કંટાળેળા સુખીબેનએ ગુરુવારે સવારે ઝેરી દવા પી લીધી હતી. જેમને તાત્કાલિક સારવાર અર્થે પાંથાવાડા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નિપજ્યું હતું. જેને લઇ પાંથાવાડા પોલીસ મથકે સુખીબેનના પતિ નાગજીભાઇ સોનાજી ઓઢવીયા (ઠાકોર) સામે દુસ્પ્રેરણનો ગૂનો નોંધાયો હતો. આ બાબતે પાંથાવાડા પોલીસે આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.