કાર જરાક આગળ પડી હોત તો ખાડામાં પડી જાત સદનસીબે મોટી દુર્ઘટના ટળી

બનાસકાંઠા
બનાસકાંઠા

વાત કરવામાં આવે તો અમદાવાદનો પરિવાર અંબાજી મંદિર ખાતે દર્શન કરવા આવ્યો હતો. ત્યારબાદ તેઓ અંબાજી આસપાસના મંદિરોના દર્શન માટે અંબાજી નજીક આવેલા કુંભારીયા વિસ્તારમાં ચામુંડા માતાજીના દર્શન કરવા જઈ રહ્યાં હતાં. ત્યારે રોડ સાઈડમાં ખુલ્લો ભાગ હોવાથી રોડ નીચે ઉતરી ગઈ હતી અને ત્યારબાદ આસપાસના આદીવાસી પરિવાર દોડી આવી કારમાં બેસેલા તમામ લોકોને બહાર કાઢી કારને મહામુસીબતે બહાર કાઢી હતી અને સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. પરંતુ ક્યારેક તંત્રની બેદરકારીના કારણે મોટો અકસ્માત થતો હોય છે. આવી જ એક ઘટના અંબાજી નજીક આવેલા કુંભારીયા વિસ્તારમાં બની હતી. જો કાર જરાક આગળ પડી હોત તો ખાડામાં પડી જાત. સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી.

તંત્ર દ્રારા સેફ્ટી વોલ બનાવવાની માગ : અંબાજીથી કુંભારીયા વિસ્તારમાં ચામુંડા માતાજીના મંદિર તરફ જવાના માર્ગ પર કોઝવે પાસેના કિનારે ઘણો ભાગ ધોવાઈ ગયો છે અને આવા રોડની બાજુમાં સેફ્ટી વોલ ન હોવાથી અકસ્માત થાય છે અને નીચે ખીણ ખુલ્લી હોવાથી ભવિષ્ય મા કોઈ બનાવ ન બને તે માટે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક આ રોડ પાસે સેફ્ટી વોલ બનાવે તેવી માગ ઉઠી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.