બનાસકાંઠા જિલ્લાના નાગરિકો અને મિડીયા ટીમે આપેલો સહકાર મને કાયમ યાદ રહેશે : સંદીપ સાગલે

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર  : બનાસકાંઠા જિલ્લા કલેકટર સંદીપ સાગલેની અમદાવાદ કલેકટર તરીકે બદલી થતાં જિલ્લાના પત્રકારો સાથે પ્રેસ મીટ યોજાઇ હતી. બનાસકાંઠા જિલ્લામાં ખુબ સારી સેવા કરી લોકોના દિલ જીતનારા કલેકટર સંદીપ સાગલેને પત્રકારઓએ ફૂલહાર પહેરાવી, પુષ્પાગુચ્છ અર્પણ કરી નવી જવાબદારીઓ માટે શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે વિદાય લઇ રહેલા કલેકટર સંદીપ સાગલેએ જણાવ્યું કે, મા અંબાની કૃપા હશે એટલે જ બનાસકાંઠા જિલ્લામાં સેવા કરવાનો અવસર પ્રાપ્તી થયો હશે. તેમણે કહ્યું કે, બનાસકાંઠા જિલ્લાના નાગરિકો અને મિડીયા ટીમે આપેલો સહયોગ અને સહકાર મને કાયમ યાદ રહેશે. આ જિલ્લાના મિડીયાના મિત્રોએ જરૂર પડ્યે પોઝીટીવ રીતે ટીકા કરીને, મારું ધ્યાન દોરીને કામ કરવાની નવી દિશા આપી છે. તેમણે કહ્યું કે, મિડીયાના માધ્યમથી પણ ઘણી બાબતો તંત્ર સામે આવતી હોય છે અને તેનો હકારાત્મક ઉકેલ આવતા ખુબ સારા પરિણામો મળ્યાં છે. તેમણે કહ્યું કે હું મહારાષ્ટ્ર નો હોવા છતાં સરકારી સેવા દરમ્યાન આ જિલ્લા સાથે મારો એવો નાતો બંધાયો છે તેને ભૂલી શકુ તેમ નથી.
આ પ્રસંગે મિડીયાના મિત્રો મોહનલાલ જોષી, નિરંજનભાઇ ઠાકર, મુકેશભાઇ ચૌહાણ, સિતાબભાઇ કાદરી અને એન.કે.મોદી સહિત ઉપસ્થિત પત્રકારઓએ કલેકટરશ્રી સંદીપ સાગલેને શુભેચ્છાઓ પાઠવી તેમના કાર્યોની પ્રશંસા કરી તેમની સેવાઓને બિરદાવી હતી.
પ્રેસ મીટમાં નાયબ માહિતી નિયામક ડી.પી.રાજપૂત, સિનિયર સબ એડીટર રેસુંગ ચૌહાણ સહિત સારી સંખ્યામાં પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક્સ મિડીયાના મિત્રો ઉપસ્થિત રહ્યા હતાં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.