વડગામ પાલનપુર તરફ હાઈવે રોડ બિસ્માર હાલતમાં
(અહેવાલ-પુષ્કર ગોસ્વામી વડગામ)
તાલુકા મથક વડગામ થી જિલ્લા મથક પાલનપુર તરફ જવા, આવવાના હાઈવે રોડ બિસ્માર થતાં વાહન ચાલકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. વારંવાર રજુઆત કરવા છતાં પ્રજાની પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ કરવા બનાસકાંઠા જિલ્લા માગૅ યોજના વિભાગ દ્વારા કોઈ કાયૅવાહી કરવામાં નહીં આવતાં વડગામ વિસ્તારમાં પ્રાથમિક જરૂરિયાત પુણૅ કરવા તંત્ર દ્વારા આંખ આડા કાન કેમ કરવામાં આવે છે??? વગેરે સવાલો પ્રજાજનો દ્વારા પુછવામાં આવી રહ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વડગામ, પાલનપુર હાઈવે રોડ ગાંધીનગર, ઉદેપુર, ઉજ્જૈન સુધી જવા આવવા અનુકૂળ માગૅ હોવાથી ચોવીસ કલાક ટ્રાફિક ધમધમતો રહે છે જેના કારણે મેરવાડા, સેજલપુરા,સેમોદ્રા,ખરોડીયા વડગામ, નગાણા,પિલુચા બ્રિજ, થી કોદરામ બનાસકાંઠાની હદ સુધી ક્યાંક ક્યાંક હાઈવે રોડ બિસ્માર હાલતમાં હોવાથી ચોવીસ કલાક કેટલાય વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. પ્રજાના પ્રતિનિધિઓ અને સરકારી તંત્ર મુખ્ય માગૅ ને રીપેરીંગ કરવા ઘટતાં પગલાં ભરે તેવી લોકોની માંગ છે.