![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/07/શક્તિપીઠ-અંબાજી-hed.jpg)
શક્તિપીઠ અંબાજી ધામમાં પડ્યો ભારે વરસાદ, લોકોને ઉજવણી ફળી, વરસાદ માટે દુકાનો બંધ રાખી કરાઈ હતી ઉજવણી
અંબાજી અને દાંતા પંથકમાં લાંબા સમયથી વરસાદે હાથ તાળી આપી હતી ,ને લાંબા સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતોના જીવ તાળીવે ચોટ્યા હતા એટલું જ નહીં પશુપાલકોને પણ લીલા ઘાસચારાની તંગી ઊભી થાય તેવી પરિસ્થિતિ સામે આવતા ને પશુપાલકોમાં પણ ચિંતા નું મોજું ફરી વળ્યું હતું જોકે ખાસ કરીને અંબાજી પંથકમાં પણ લાંબા સમયથી વરસાદ ના પડતા અંબાજી વાસીઓએ આજે પોતાના તમારું કામ બંધ રાખી વરુદેવને મનાવવા પૂજા કરી હતી ને બપોર બાદ એકાએક વરસાદની શરૂઆત થવા પામી હતી.
જેના પગલે અંબાજીના હાઇવે માર્ગો તેમજ અન્ય વિસ્તારો પણ પાણી પાણી થઈ ગયા હતા અનેક વિસ્તારોમાં સોસાયટીને ધર્મશાળાઓમાં પાણી ભરાયા હતા આજે જે જગ્યાએ હાઇવે ઉપર પાણી ભરાય છે ત્યાં દર ચોમાસામાં રાહદારીઓ ને વાહન ચાલકોને ભરેલા પાણી લઈ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.
અંબાજીમાં બપોરે બે કલાકના વિરામ બાદ ફરી ધમાકેદાર વરસાદ પડતા અનેક વિસ્તાર જળબંબાકાર થયા હતા અંબાજીમાં દુકાનો બંધ રાખી ઉજાણી કરાતા ખાતે બ્રાહ્મણોએ પણ પૂજાપાઠ અર્ચના કરાતા અંબાજી આજે ઉજાણીને સફળતા મળી હતી ને દિવસ દરમિયાન બે ઇંચ જેટલો વરસાદ અંબાજીમાં પડ્યો હતો.