ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માના ચરણે:શંકર ચૌધરીએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી

બનાસકાંઠા
બનાસકાંઠા

અરવલ્લીની ગિરિમાળાઓમાં વિરાજમાન મા અંબાનું ધામ દેશ વિદેશમાં વિખ્યાત છે. ત્યારે સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇ ભક્તો માના દર્શનાર્થે આવી માતાજીના ચરણોમાં શીશ નમાવે છે. શક્તિપીઠ અંબાજી ખાતે કોઈપણ નેતા અભિનેતા કે પછી વીવીઆઈપી પણ માતાજીના ચરણોમાં શીશ નમાવવા અને માનો આશીર્વાદ મેળવવા અંબાજી આવતા હોય છે. ત્યારે આજે વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન યાત્રાધામ અંબાજી પહોંચ્યા હતા.

આજે વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી મા જગતજનની અંબાના નિજ મંદિર પહોંચ્યા હતા. અંબાજી મંદિર પહોંચતા મંદિરના પૂજારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. શંકર ચૌધરી માતાજીના ગર્ભ ગ્રુહમાં જઈ માતાજીના ચરણોમાં શીશ નમાવ્યું હતું. તો મંદિરના ભટજી મહારાજ દ્વારા વિશેષ પૂજા અર્ચના કરી હતી. તો સાથે સાથે વિશ્વ કલ્યાણ માટે માતાજીથી પ્રાર્થના કરી હતી. માતાજીના દર્શન અને માતાજીનો આશીર્વાદ મેળવ્યા બાદ વિધાનસભાના અધ્યક્ષ ભટજી મહારાજની ગાદી પર જઈ ભટજી મહારાજ જોડે રક્ષા કવચ બંધાવ્યો હતો અને ભટજી મહારાજ જોડે આશીર્વાદ લીધા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.