![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/03/ગુજકેટની-પરીક્ષા-આપશે-01-hed.jpg)
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 31મી માર્ચે ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 31મી માર્ચે ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે. ધોરણ-12 સાયન્સના 6561 વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે. 34 બિલ્ડિંગમાં 330 બ્લોકમાં 4088 વિદ્યાર્થીઓ અને 2743 વિદ્યાર્થીનીઓ પરીક્ષા આપશે.
જિલ્લા શિક્ષણાધિકારી જણાવ્યું હતું કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 31મી માર્ચે ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે. ધોરણ- 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે એન્જિનિયરિંગ, ફાર્મસી, વેટરનરી અને એગ્રિકલચરમાં પ્રવેશ માટેની આ પરીક્ષામાં બનાસકાંઠા જિલ્લાના 34 કેન્દ્રો પરથી 6561 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સનું 120 માર્કસનું પેપર લેવાશે. જેમાં પરીક્ષાનો સમય સવારે 10 થી 4 દરમિયાનનો રહેશે. જોકે, તેમાં વચ્ચે એક કલાકનો બ્રેક મળશે. જિલ્લામાં 34 કેન્દ્રોના 330 બ્લોક પરથી 6561 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. માધ્યમવાર વિદ્યાર્થીઓમાં 5831 વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમમાં, 728 વિદ્યાર્થીઓ અંગ્રેજી માધ્યમમાં અને 2 વિદ્યાર્થીઓ હિન્દી માધ્યમમાં પરીક્ષા આપશે. જેમાં 4088 વિદ્યાર્થીઓ અને 2473 વિદ્યાર્થીનીઓ પરીક્ષા આપશે. ગૃપ વાઈઝ-A ગૃપમાં 911, B ગૃપમાં 5635 વિદ્યાર્થીઓ, AB ગૃપના 15 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં તા.31મી માર્ચે સવારે 10-00થી 12-00 ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન, બપોરે 1-00થી 2-00 જીવવિજ્ઞાન તો બપોરે 3-00 થી 4-00 વાગ્યા દરમિયાન ગણીતનું પેપર લેવામાં આવશે.