![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/07/screenshot-hed.jpg)
અમીરગઢ ખાતે આવેલી સરકારી વિનિયન કોલેજમાં પહેલી જુલાઈથી લાગુ થયેલા નવા ફોજદારી કાયદા વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા
અમીરગઢ પોલીસ દ્વારા અમીરગઢ ખાતે આવેલી સરકારી વિનિયન કોલેજમાં પહેલી જુલાઈથી લાગુ થયેલા નવા ફોજદારી કાયદા અને જોગવાઈથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. અમીરગઢ પોલીસ સ્ટાફ સહિત કોલેજ સ્ટાફ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
આજે પહેલી જુલાઈ 2024ના સંપૂર્ણ ભારતમાં નવા ફોજદારી કાયદાઓ લાગુ થઈ રહ્યા છે. જેને લઈ આજે લોકોને જાગૃત કરવા માટે પોલીસ દ્વારા સેમિનાર થકી માહિતગાર કરવામાં આવી રહ્યા છે. જેમાં આજે અમીરગઢ સરકારી વિનયન કોલેજમાં પોલીસ દ્વારા કૉલેજના વિધાર્થીઓને જાગૃત કરવાના હેતુથી ઈતિહાસ વિભાગ અને પોલીસ દ્વારા જૂના ફોજદારી કાયદા IPC, CRPC અને ઈન્ડિયન એવિડન્સ એક્ટની બદલે આજથી લાગુ પડતા ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા તેમજ ભારતીય સાક્ષ્ય સંહિતા 2023 વિષે વિસ્તૃત માહિતી આપી હતી.