અંબાજી ગબ્બર રોડ પર આવેલા ગોગા મહારાજના મંદિરે વિશેષ પૂજા અર્ચના સાથે શોભાયાત્રા નીકળી

બનાસકાંઠા
બનાસકાંઠા

શક્તિપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું પવિત્ર યાત્રાધામ છે. યાત્રાધામ અંબાજી કરોડો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે મા જગતજનની અંબાના ચરણોમાં શીશ નમાવવા અને આશીર્વાદ મેળવવા હજારોની સંખ્યામાં માઇ ભક્તો અંબાજી આવતા હોય છે. અંબાજી ખાતે અનેકો નાના-મોટા મંદિરો પણ આવેલા છે. ત્યારે કોઈ પણ ઉત્સવ કે પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો ઉત્સાહપૂર્વક સહ ભાગીદાર થઈ કાર્યક્રમને સફળ બનાવતા હોય છે. અંબાજીમાં નાગ પંચમીના દિવસે ગોગા મહારાજના મંદિરે વિશેષ પૂજા અર્ચના સાથે શોભાયાત્રા નીકળવામાં આવી હતી.


અંબાજી ગબ્બર રોડ પર આવેલા ગોગા મહારાજના મંદિરમાં આજે નાગ પંચમીના દિવસે મંદિરને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. તો સાથે સાથે ગોગા મહારાજની વિશેષ પૂજા અર્ચના પણ કરવામાં આવી હતી. ગોગા મહારાજના મંદિરે મોટી સંખ્યામાં આજે ભક્તો ગોગા મહારાજના દર્શનાર્થે પહોંચ્યા હતા. નાગ પંચમીના દિવસે ગોગા મહારાજના પૂજારીઓ તેમજ ભક્તો સાથે ગ્રામજનો શોભાયાત્રામાં જોડાયા હતા. આ શોભાયાત્રા ગોગા મહારાજના મંદિરેથી શરૂ થઈને અંબાજીના વિવિધ માર્ગોથી પસાર થઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.