ડીસામાં ગૌશાળા – પાંજરાપોળ સંચાલકોનું સરકાર સામે બેનર વોર

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : રાજ્ય સરકાર દ્વારા ગૌશાળા અને પાંજરાપોળોમાં આશ્રિત અબોલ જીવોને મળતી સહાય સરકાર દ્વારા સ્થગિત કરી દેવામાં આવતા સંચાલકોને પશુઓ સાચવવા દોહ્યલું બની ગયું છે. લોકડાઉન બાદ દાતાઓ તરફથી મળતું દાન પણ બંધ થઈ જતા બનાસકાંઠાની તમામ ગૌશાળા અને પાંજરાપોળ દેવામાં ડૂબી ચુકી છે. એક તરફ રાજ્ય સરકાર દ્વારા પશુ દીઠ માસિક ૨૫ રૂપિયાની સહાય આપવામાં આવતી હતી તે પણ ચારેક માસથી અટકાવી દેવામાં આવી છે. જો કે અગાઉ આ બાબતે સંચાલકો દ્વારા બેઠકો યોજી સરકાર સમક્ષ અનેકવાર રજુઆત કરવામાં આવી હતી તેમ છતાં કોઈ જ સહાય ન મળતા આખરે આંદોલન છેડવાનો ર્નિણય સર્વાનુમતે લેવામાં આવ્યો હતો. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં તમામ પશુઓને પંચાયતમાં છોડી મુક્યા હતા. ત્યારબાદ સરકાર અને તંત્રના બહેરા કાને અબોલ જીવોની વ્યથા પહોંચે તેના માટે ડીસામાં પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલકો દ્વારા રાજ્ય સરકાર વિરુદ્ધના બેનરો બનાવી નગરપાલિકા, મામલતદાર, તાલુકા પંચાયત અને પ્રાંત કચેરીના ગેટ પર લગાવવામાં આવ્યા હતા. આ બેનરો થકી ગૌશાળા – પાંજરાપોળને સહાય આપવાની માંગ પણ કરવામાં આવી હતી છેલ્લા ચાર માસથી સંચાલકો સરકાર પાસે સહાયની ગુહાર લગાવી રહ્યા છે તેમ છતાં પણ સરકાર દ્વારા સહાય આપવાને બદલે આર્ત્મનિભર બનવાની સ્કીમ બતાવતા સંચાલકોમાં રોષ ભભૂકી જવા પામ્યો હતો. જેથી મંગળવારે ડીસાની વિવિધ સરકારી કચેરીઓ આગળ બેનરો લગાવી આંદોલનની શરૂઆત કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.