વડગામના ઘોડીયાલના શહીદ જવાનના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર

બનાસકાંઠા
બનાસકાંઠા

વડગામ
કલકત્તા – બાંગ્લાદેશ બોડઁર ઉપર બી.એસ.એફ. માં ફરજ બજાવતા વડગામ તાલુકાના ઘોડીયાલ ગામના શહીદ જવાન આશિષભાઈ વશરામભાઈ પરમાર (વાલમિયા) ના પાથિઁવ શરીરને વિમાન માર્ગે અમદાવાદ લાવી માદરે વતન ઘોડીયાલમાં રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
શહીદ આશિષભાઈના પાથિઁવ શરીરને લશ્કરના અધિકારીઓ દ્વારા આખરી સલામી અપાઈ હતી અને ‘શહીદ અમર રહો,ભારત માતા કી જય’ ના જયઘોષથી વાતાવરણ ગજવ્યું હતું, અંતિમ સંસ્કારમાં ઉપસ્થિત રહેલા લોકોએ ભીની આંખે શહીદ વીર જવાનને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.
ઘોડીયાલના વતની આશિષ કુમાર વશરામભાઈ દાલમિયા
તારીખ ૧૫/૪/૨૦૧૨ માં બી.એસ.એફ.માં ભરતી થયા હતા. તથા તેમનો ૧૯૯૨ માં જન્મ થયો હતો, આમ તેમણે માત્ર ૨૮ વર્ષની ભરયુવાનીમાં શહીદી વહોરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.