ચોથા દિવસે ચાર ઉમેદવારીપત્ર ભરાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : એશિયાની નંબર બનાસડેરીના ૧૬ ડિરેક્ટર માટે યોજાનારી ચુંટણીના ચોથા દિવસે ચાર ઉમેદવારોએ પોતાના ઉમેદવારીપત્રો ભરતા ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. સતત ત્રીજા દિવસ સુધી એક પણ ઉમેદવારી ફોર્મ ભરાયું ન હતું. જયારે ચોથા દિવસે દાંતા, ધાનેરા, દાંતીવાડા અને વાવમાંથી ચાર ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા હતા.
એશિયાની નંબર વન ૯૦૦૦ કરોડનું ટર્ન ઓવર ધરાવતી બનાસડેરીની ચૂંટણીમાં આખરે ચોથા દિવસે ખાતું ખુલ્યું હતું. ચોથા દિવસે ચાર ઉમેદવારો એ પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. બનાસ ડેરીની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ગત ૨૨મી સપ્ટેમ્બરથી શરૂ થઇ ગઈ છે. જે ૨૯ મી સપ્ટેમ્બર સુધી ચાલશે. ઉમેદવારીપત્રો દરેક તાલુકા મથકે અથવા તો જિલ્લા કલેકટર કચેરીએ પણ ભરી શકાશે. જોકે, સતત ત્રીજા દિવસે પણ એક પણ ઉમેદવારીપત્ર ભરાયું ન હતું. પરંતુ ચોથા દિવસે ચાર ઉમેદવારોના ઉમેદવારીપત્ર ભરાયા હોવાનું ચૂંટણી અધિકારી એફ.એ.બાબીએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.