દાંતીવાડા ડેમ પાણીથી છલોછલ થયો પાંચ વર્ષ બાદ ચાર દરવાજા ખોલાયા
બનાસકાંઠા જિલ્લાનું જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ પાંચ વર્ષ બાદ ભરાતા પાણી છોડવામાં આવતા સમગ્ર જિલ્લામાં ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને દાંતીવાડા ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ હતી. જેના કારણે બુધવારના બપોરે દાંતીવાડા ડેમની સપાટી ૬૦૦ ફુટ થઇ જતાં ડેમનો દરવાજાે ખોલવાની ફરજ પડી હતી ત્યારે દાતીવાડા ડેમનો દરવાજાે ખોલતા બનાસવાસીઓને પાંચ વર્ષે બનાસ નદી વહેતી થવાની આશા પુર્ણ થઇ હતી. ઘટતા જતા ભુગર્ભ જળ વચ્ચે બનાસ નદી વહેતી થતા ખેડુતોમાં ખુશી જાેવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લાનો દાંતીવાડા ડેમ પાણીથી છલોછલ થયો છે. ત્યારે ઉપરવાસમાં થયેલા વધુ વરસાદના પગલે બુધવારના દિવસે દાંતીવાડા ડેમના ૪ દરવાજા ખોલવામાં આવ્યા હતા અને પાણી બનાસ નદીમાં છોડાયું હતું. દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં છોડાયેલા પાણીથી દાંતીવાડા,ડીસા, કાંકરેજ સહિત પાટણ જિલ્લાના કાંઠાના અનેક ગામોને ફાયદો થશે અને જમીનના ભૂગર્ભ જળ ઊંચા આવવાથી ખેડૂતોના બોરવેલો અને કૂવમા પણ પાણીના તળ ઉંચા આવશે. બુધવારના દિવસે ૨ વાગે એક ગેટ ખોલ્યા બાદ સપાટી કરતા પાણીની આવક વધુ થતાં બીજા પણ બેગેટ ખોલાયા હતા.
બપોરના ૩ઃ૪૦ મિનિટે બીજાે દરવાજાે ખોલવામાં આવ્યો ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદના કારણે બપોરના સમયે ડેમમાં
આવકમાં નોંધપાત્ર વધારો થતા બીજાે દરવાજાે ખોલવાની ફરજ પડી હતી ત્યારે બપોરના ૩ઃ ૪૦ મિનિટે બીજાે દરવાજાે અડધો ફૂટ ખુલ્લી તેમાંથી પણ ૫ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાયુ હતું.
સાંજના સમયે વધુ બે દરવાજા ખોલી ૨૫ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું ઉપરવાસમાંથી ડેમમાં પાણીની સતત આવક વધતા સાંજના સોમવારે વધુ બે દરવાજા ખોલી અને ડેમમાંથી ૨૫ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેમાં ગેટ ૨,૩,૭,૮
ખોલી ૨૫ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.