બનાસકાંઠામાં કોરોનાના વધુ પાંચ કેસ નોંધાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : સરહદી બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. જ્યાં સોમવારે વધુ ૫ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેની સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૧૨૫૩ પહોંચી ગઈ છે.
સરહદી બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. જ્યાં સોમવારે વધુ ૦૫ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૧૨૫૩ પહોંચી ગઈ છે. આ અંગે આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, કાંકરેજમાં ૨, ભાભર ૨ અને દાંતીવાડામાં ૧ દર્દી મળી કુલ ૫ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમને સારવાર અર્થે કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે તેમના સંપર્કમાં આવેલા લોકોને હોમ કોરેન્ટાઇન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.