ડીસાના સદરબજારમાં પૂજાપાની દુકાનમાં આગ, લોકોના ટોળા એકઠાં થયા, ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસાના સદરબજારમાં આવેલી પૂજાપાની દુકાનમાં આજે સવારે આગ લાગ્યાની ઘટના બની છે. ઘટનાની જાણ થતાં લોકો એકઠાં થયા હતા અને ફાયર વિભાગને બનાવ અંગે જાણ કરી હતી. બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. એક તબક્કે આગની ઘટનાથી આસપાસના વેપારીઓમાં ભયનો માહોલ હતો.

બનાવની વિગતો એવી છેકે, આજે સવારે શહેરના સદરબજારમાં આવેલી પૂજાપાની દુકાનમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી. આગની ઘટનાથી આસપાસના વેપારીઓમાં ભય પ્રસરી ગયો હતો. લોકોના ટોળા એકઠાં થયા હતા. બનાવની જાણ પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવી હતી. પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો. આગથી પૂજાપાનો વેપાર કરતા વેપારીને લાખોનું નુકસાન થયું હોવાનું પ્રાથમિક ધોરણે માનવામાં આવી રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.