પાલનપુર બિહારીબાગથી હનુમાન ટેકરીના માર્ગ પર અકસ્માતની ભિતી

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર બિહારી બાગ થી હનુમાન ટેકરી જતા નેશનલ હાઈવે પર ડામરના ગઠ્ઠા જામી જતા અકસ્માતની દહેશત સેવાઇ રહી છે. જેથી તંત્ર દ્વારા આ બાબતે નિરીક્ષણ કરી રોડને સમતળ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

અવારનવાર પાલનપુર થી અમદાવાદ હાઈવે પરના માર્ગ પરની સમસ્યાઓ સામે આવતી હોય છે. તે જ રીતે પાલનપુર બિહારી બાગ થી હનુમાન ટેકરી જતા માર્ગ પર રોડના વચ્ચોવચ ડામરના ગઠ્ઠા જામી જતા રોડ ઉબડખાબડ થઈ ગયો છે. જેના કારણે આબુરોડ થી હનુમાન ટેકરી તરફ જતા વાહનો આ ઉબડ ખાબડ માર્ગ ઉપરથી પસાર થાય તો અકસ્માત થવાની મોટી ભીતિ સેવાઈ રહી છે. આ માર્ગ પરથી નેશનલ હાઈવે ઓથોરિટી ની ઓફિસ આવેલી છે. જેથી અધિકારીઓ પણ આ જ માર્ગ પરથી પસાર થતા હશે તેમ છતાં આ બાબતની કેમ ગંભીરતા નથી લેવાતી તે પણ એક મોટો પ્રશ્ન છે તો કોઈ દુર્ઘટના સર્જાય કે ગાડી પલટી ખાઈ જાય તે પહેલા તંત્ર દ્વારા આ દિશામાં ઘટતું કરી રોડને સમતલ કરવામાં આવે તેવું સ્થાનિક રહીશો તેમજ વાહન ચાલકો માંગ ઉઠવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.