![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/થરાદના-થરા-ગામના-ખેડૂતો-વીજ-HED.jpg)
થરાદના થરા ગામના ખેડૂતો વીજ પ્રશ્નથી પરેશાન ‘કાપા કુપી બંધ કરો’
જગતના તાતથી ચિંતા કોને!, AC ચેમ્બરના અધિકારીઓ ખેડૂતોની રજૂઆત સાંભળો: થરાદમાં ખેડૂતોનો ઉનાળુ પાક લગભગ તૈયાર થવાની અણીએ છે. ત્યારે પાણીની જરૂરિયાત ખૂબ જ મોટા પ્રમાણમાં રહે છે. પરંતુ થરાદના રાહ સબ સ્ટેશનમાં આવતા થરા ગામના ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખેડૂતોને ઓછા વોલ્ટેજથી વીજળી અપાય છે. 400 વોલ્ટેજની વીજળીની જરૂરીયાત હોય છે. જયારે તંત્ર દ્વારા માત્ર 250 વોલ્ટેજની વીજળી અપાય છે. તેમજ દર કલાકે 2 થી વધુ વખત કાપ આવે છે. જેથી વારંવાર સિંચાઇ માટેની મોટર તથા કેબલ બળી જાય છે. તથા પુરતા પ્રમાણમાં પાણી ન મળતાં તૈયાર ઉભા પાક બળી જવાની ભીતિ સેવાઈ છે. ત્યારે તાત્કાલિક પુરતા પ્રમાણમાં અને સતત કાપ વિના વીજળી આપવા ખેડૂતોએ માગ કરી છે.
વીજ કાપને લઈ રાહ સબ ડિવિઝન થરા ગામના ખેડૂતોએ આવેદન અરજી કરીને તાત્કાલિક ધોરણે તેમના આ પ્રશ્નને સોલ્યુએશન લાવવામાં આવે તેવી માંગ સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. સાથો સાથ તાત્કાલિક ધારણે પ્રશ્નનો ઉકેલ નહી આવે તો યુજીવીસીએલની વર્તુળ કચેરી – પાલનપુર ખાતે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.