બનાસકાંઠા જિલ્લામાં અતિ ભારે વરસાદથી વ્યાપક નુકશાન
બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતો સહિત આમ જનતાને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરાવી ખેડૂતોને થયેલ નુકશાનનું વળતર આપવા માટે ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીએ સરકાર સમક્ષ માંગ કરી છે. આમ તો અષાઢ મહિનાની શરૂઆતથી જ મેઘરાજાનું આગમન થયું હતું પરંતુ અત્યાર સુધી ધીમી ધારે વરસાદ પડતાં ખેતી પાકો માટે
ફાયદાકારક હતો પરંતુ સોમવાર અને મંગળવારે એમ બે દિવસ દરમિયાન મેઘરાજાએ પણ બનાસકાંઠા જિલ્લામાં રોદ્ર સ્વરૂપ ધારણ કરતાં પાણી જ પાણી થઈ ગયું છે. ભારે વરસાદથી ખેતરો પણ બેટમાં ફેરવાઈ જતાં પાક નિષ્ફળ જવાની ભિતી સાથે પૂર્વ ધારાસભ્ય અને કોગ્રેસ નેતા ગોવાભાઈ રબારીએ ખેડૂતોને થયેલા નુકશાનનો તાત્કાલિક સર્વે કરાવી વળતર ચૂકવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. આ અંગે પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીએ જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં અતિભારે વરસાદથી
ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોનો ચોમાસું પાક નિષ્ફળ ગયો છે તેમજ ખેતરોનું પણ મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે. જેથી સરકાર દ્વારા યુધ્ધના ધોરણે સર્વે કરાવી ખેડૂતોને વળતર આપવાની તાતી જરૂરિયાત છે.