ગિરવે મુકેલા વાહનો બારોબાર વેચતી ટોળકીનો પર્દાફાશ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં ગીરવે મુકેલા વાહનોના બનાવટી દસ્તાવેજાે બનાવી બારોબાર વેચી મારવાનું કૌભાંડ ઝડપાયું છે. પોલીસે ત્રણ આરોપીઓને એક ગાડીસાથે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં નાણાંની જરૂરિયાતવાળા લોકોના ગીરવે મુકેલા વાહનોના ખોટાદસ્તાવેજ બનાવી બારોબાર વેચી મારનાર ભેજાબાજ ટોળકી સક્રિય બની છે. જેનો ભોગ પાલનપુરનો હરેશભાઈ કાળીદાસ શ્રીમાળી નામનો યુવાન પણ બન્યો હતો. આ યુવકને વિશ્વાસમાં લઈ આરોપીઓએ તેની ગાડી ગીરવે લીધી હતી. જાેકે, પૈસા ચુકવી આપ
વા છતા આરોપીઓએ ગાડી પરત આપી ન હતી. અને તેની  જાણ બહાર બાનાખત કરી ખોટો દસ્તાવેજ બનાવી ગાડી બારોબાર વેચી મારી હતી. જે અંગે પીડિત યુવકે વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરનારા ૫ લોકો (૧) સંજયસિંહ જ્ઞાનસિંહ બધેલ, રહે.પાલનપુર (૨) રણજીતસિંહ અભેસિંહ હડિયોલ, રહે. ડાલવાણા તા.વડગામ (૩) મકસૂદ ખાલીદભાઈ ગાયકવાડ, રહે.. મફતપુરા,પાલનપુર (૪)સી.આઈ.
ચૌહાણ નોટરી સંકુલ પાલનપુર અને (૫) બાબુભાઈ હિરાભાઈ પઢિયાર, રહે.થરાદ ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ બનાવમાં ઝડપાયેલા આરોપીઓએ અન્ય કોઈ સ્થળે પણ ચોરી કરવામાં
આવી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. આરોપીઓ સાથે અન્ય કોઈ શખ્સ સંડોવાયેલાહોવા અંગે પણ તપાસ કરવામાં
આવી રહી છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.