પાલનપુરમાં ફાસ્ટટેગમાંથી મુક્તિ આપવાની માંગ સાથે કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર

બનાસકાંઠા
બનાસકાંઠા

ફરજીયાત ફાસ્ટટેગથી ખેમાણા ટોલનાકા પાસેના ગ્રામજનો ત્રસ્ત, ફાસ્ટટેગમાંથી મુક્તિની માંગ નહિ સ્વીકારાય તો આંદોલનની ચીમકી

દેશભરના ટોલનાકા પર 15 મી ફેબ્રુઆરીથી ફાસ્ટટેગ ફરજિયાત કરાયું છે. ત્યારે પાલનપુરના ખેમાણા ટોલનાકા નજીકના ગ્રામ્ય વિસ્તારના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ટોલનાકાની પાંચેક કિલોમીટર માં આવેલા ગામડાઓના લોકોને પણ ફાસ્ટટેગ ફરજિયાત થતા ટોલટેક્સ ભરવો પડે તેવી હાલત થઈ છે. ત્યારે અસરગ્રસ્ત ગ્રામજનોએ આજે પાલનપુરના ધારાસભ્યની આગેવાની તળે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી.

ફાસ્ટટેગ ફરજીયાત કરાતા પાલનપુરના ખેમાણા ટોલનાકા પાસે વસતા ગ્રામજનોને ભારે હલાકીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. ખેમાણા ટોલનાકા પાસે આવેલા ચિત્રાસણી, આંતરોલી, મલાણા, હેબતપુર, પુરોજપુરા, કોટડા, સુરજપુરા સહિતના ગામડામાં વસતા લોકોને ફાસ્ટટેગ ફરજીયાત થવાથી નાહકનો દંડાવાનો વારો આવ્યો છે. ધંધા- રોજગાર અને દવાખાના સહિતના કામ માટે પાલનપુર આવવું પડે છે. તેથી તેઓને પણ ફાસ્ટ ટેગ ફરજીયાત થવાથી ટેક્સ ભરવાની નોબત આવી છે. ત્યારે રોષે ભરાયેલા લોકોએ આજે જિલ્લા કલેકટર આનંદ પટેલને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હોવાનું ચિત્રાસણીના અગ્રણી દિનેશભાઇ દોશીએ જણાવ્યું હતું.

પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલે પણ ગ્રામજનોની રજુઆત વ્યાજબી હોવાનું જણાવી ફાસ્ટટેગ માંથી મુક્તિ આપવાની માંગ કરી હતી.

ગ્રામજનોએ ફાસ્ટટેગમાંથી મુક્તિ નહીં અપાય તો ના-છૂટકે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.