જિલ્લામાં વરસાદી વાતાવરણ બન્યા બાદ પણ વરસાદ ન થતા ચિંતાનો માહોલ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ વડાવલ
સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણની વધતા જતા કેસોને લઇ સમગ્ર પ્રજાજનો ભારે ઉચાટ માં જોવા મળી રહ્યા છે ત્યારે વરસાદ પણ હાથતાળી આપી જતા રહેતા ચિંતાનો માહોલ સર્જાયો છે.
હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે શનિવારના બપોર બાદ જિલ્લાના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ થયો હતો પરંતુ અન્ય વિસ્તારો કોરાધાકોર રહી જતા વરસાદની રાહ જોવાઈ રહી હતી પરંતુ એક દિવસના વરસાદી વાતાવરણ બાદ રવિવારના બપોર બાદ વરસાદી માહોલ વિખેરાતા ખેડૂત વર્ગમાં પણ ચિંતા પ્રસરી ગઈ છે. અષાઢ મહિના બાદ શ્રાવણ મહિનાની શરૂઆતમાં પણ વરસાદ હાથતાળી આપતો જિલ્લામાં અમંગળ એંધાણ વર્તાઇ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી સામાન્ય વરસાદ થતા ખેતીના પાકો પણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. સમગ્ર જિલ્લામાં ૪.૩૨ લાખ હેકટર જમીનમાં ખરીફ સીઝનમાં વાવેતર કરેલ છે પરંતુ વરસાદના અભાવે ખરીફ પાક પણ સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં પણ સારો વરસાદ થવાની શક્યતાઓ દર્શાવી છે પરંતુ વરસાદની અનિશ્ચિતતાને લઈ જિલ્લાવાસીઓમાં ચિંતા જોવા મળી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.