જિલ્લા રોજગાર વિનિમય કચેરી,પાલનપુર દ્વારા રોજગાર ભરતી મેળો યોજાશે
આગામી ૧૧ ઓક્ટોમ્બરના રોજ આઇ.ટી.આઇ પાલનપુર ખાતે તાલુકા કક્ષાના રોજગાર ભરતી મેળાનું કરાશે આયોજન: આગામી તા.૧૧/૧૦/૨૦૨૪ ના રોજ સવારે ૦૯.૩૦ કલાકે ઔધોગિક તાલીમ સંસ્થા (I.T.I), પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લાના રોજગાર વાંચ્છુ ઉમેદવારો માટે ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ પાસે ખાલી રહેલ નોકરી માટેની જગ્યાઓ ભરવા માટે ભરતી મેળાનું આયોજન કરાશે.
આ ભરતીમેળામાં ભાગ લેવા ઇચ્છુક ૧૮થી ૩૦ વર્ષની ઉંમરના તેમજ એસ.એસ.સી./એચ.એસ.સી/આઇ.ટી.આઇ/સ્નાતકની લાયકાત ધરાવનાર પુરુષ તથા મહિલા ઉમેદવારોએ તેમની ઉંમર,જાતિ, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની નકલ અને બાયોડેટાની ત્રણ થી ચાર નકલો સાથે સ્વ-ખર્ચે રૂબરુ ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે. આ ભરતી મેળા અંતર્ગત આપવામાં આવતી સેવા નિ:શુલ્ક છે તેમ રોજગાર અધિકારી (જનરલ) પાલનપુર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.