ધાનેરાની વક્તાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય સામે ઉચાપતનો આક્ષેપ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ધાનેરા : ધાનેરા તાલુકાના વક્તાપુરા ગામમાં આવેલ પ્રાથમિક શાળાના આચાર્ય પર ગંભીર આક્ષેપો સાથે ગ્રામજનોએ બદલીની માંગ સાથે તટસ્થ તપાસની લેખિતમાં માગણી કરી છે.
ધાનેરા તાલુકાના કેટલાક ગામોમાં શિક્ષણનો વ્યાપ વધ્યો હોય તે પ્રમાણે સ્થાનિક ગ્રામજનો અને ગામના શિક્ષિત યુવાનો પોતાના હક માટે પહેલ કરી રહ્યા છે.ધાનેરા તાલુકાના વક્તાપુરા ગામના ગ્રામજનોએ સ્થાનિક પ્રાથમિક શાળાના આચાર્ય સુરેશ ભાઈ દરજી પર ગંભીર આક્ષેપો સાથે લેખિતમાં રજુઆત કરી છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે શાળાના આચાર્ય પોતાની મનમાની ચલાવી રહ્યા છે. એસએમસીની રચના પણ આ ગામમાં બે કરવામાં આવી છે અને જ્યારે વાલી મીટીંગમાં શાળામાં ઉપયોગ લેવાતી ગ્રાન્ટ બાબતે પૂછવામાં આવે તો આચાર્ય કોઈ પણ પ્રકારનો હિસાબ આપવા થી દુર રહે છે. અન્ય શાળાની સામે વક્તાપુરા શાળાનો વિકાસ રૂંધાઇ રહ્યો છે. બાળકોને મળવા પાત્ર શિક્ષણ અહીં મળતું નથી. જેથી આ આચાર્યની બદલીની માંગ ગ્રામજનો કરી રહ્યા છે. ગ્રામજનો દ્વારા અવાર નવાર લેખિતમાં રજુઆત કરતા બાપલા સેન્ટરના સીઆરસીએ આ મામલે તપાસ કરી હતી અને આખરે ધાનેરા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ વક્તાપુરા પ્રાથમિક શાળાનું રેકર્ડ જપ્ત કરી હાલ તપાસ ચલાવવામાં આવી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.