દિયોદર તાલુકાની 64 ગ્રામ પંચાયતોમાં મારી માટી- મારો દેશ કાર્યક્રમની ઉજવણી કરાઇ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ”મારી માટી- મારો દેશ, માટીને નમન, વીરોને વંદન” કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. આ કાર્યક્રમોથી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં દેશભક્તિનો માહોલ છવાયો છે. બનાસકાંઠ જિલ્લાની દિયોદર તાલુકાની 64 ગ્રામ પંચાયતોમાં દેશભક્તિના માહોલમાં આ ભવ્ય કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.દિયોદરના કોટડા અને પાલડી ગામે ધારાસભ્ય કેશાજી ચૌહાણ અને દિયોદર તાલુકા વિકાસ અધિકારી એમ. ડી. દવેની ઉપસ્થિતિમાં મારી માટી- મારો દેશ કાર્યક્રમ યોજાયો હતો. આ અંગે ધારાસભ્ય કેશાજી ચૌહાણે જણાવ્યું કે, આપણી આઝાદી માટે કેટલાંય નવયુવાનોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે. તેમના બલિદાન, ત્યાગ અને તપસ્યાને લીધે આપણને મહામુલી આઝાદીની ભેટ મળી છે. જેની વાત નવી પેઢી સમક્ષ મુકવા માટે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી સમગ્ર દેશમાં મારી માટી- મારો દેશ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે તેમાં જોડાઇને શહીદોની અમરગાથા દ્વારા સંસ્કારી અને સશક્ત રાષ્ટ્રનું નિર્માણ કરીએ. આજે દિયોદર તાલુકાના તમામ ગામોમાં પદાધિકારીઓઓ, અધિકારીઓ, નાગરિકો, વડીલો, માતાઓ- બહેનોએ આ કાર્યક્રમ સહભાગી થઈ દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનાર વીર જવાનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.દિયોદર તાલુકાની 64 જેટલી ગ્રામ પંચાયતોમાં મહાનુભાવો અને ગામના અગ્રણીઓની ઉપસ્થિતિમાં શિલાફલકમનું અનાવરણ કરી વીર શહીદોને શ્રધ્ધાજંલિ અર્પણ કરવામાં આવી હતી. ગ્રામજનોએ હાથમાં દીવા અને ગામની પવિત્ર માટી લઈ પંચ પ્રણ પ્રતિજ્ઞા લઈ રાષ્ટ્ર નિર્માણ માટે પ્રતિબધ્ધતાના શપથ લીધા હતા. ગામમાં સ્થાનિક કક્ષાએ 75 વૃક્ષોનું વાવેતર કરી ”વસુધા વંદન થકી અમૃત વાટિકા” તૈયાર કરવા વક્ષારોપણ કરવામાં આવ્યું હતું. દેશની રક્ષા કાજે સર્વોચ્ચ બલિદાન આપનાર વીરોના પરિવારનું સન્માન કરીને વીરોને વંદન થકી શ્રધ્ધાંજલિ અર્પવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ધ્વજ વંદન કરી રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું હતુ. આમ, દિયોદર તાલુકાના દરેક ગામમાં ”મારી મારી – મારો દેશ” કાર્યક્રમ રાષ્ટ્રભકિતની ભાવનાથી ઉજવવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.