બનાસકાંઠા જિલ્લામાં હાલ તીડની કોઈ હાજરી ન હોવાનું જણાવ્યું : સર્વેમાં પણ તીડની કોઈ હાજરી નથી મળી

બનાસકાંઠા
બનાસકાંઠા

રાજસ્થાનમાં તીડ દેખાવાને મામલે બનાસકાંઠા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલનું નિવેદન આપ્યું છે કે, તીડ વિભાગે સરહદી વિસ્તારોમાં સર્વે કરતા હાલ કોઈ તીડ ન હોવાનું સામે આવ્યું રાજસ્થાન તીડ નિયંત્રણ વિભાગે તીડ કંટ્રોલ કર્યા છે.રાજસ્થાનમાં તીડ દેખાતા બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો સહિત લોકોમાં ચિંતા જોવા મળી રહી હતી. અગાઉ બનાસકાંઠા જિલ્લામાં તીડે ધામા નાખતા ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. ફરી વખત તીડના સમાચાર લોકોને મળતા લોકો ચિંતામાં મુકાયા હતા. જેને લઇ બનાસકાંઠા જિલ્લા કલેકટર વરુણ કુમાર બરનવાલે રાહતના સમાચાર આપ્યા છે. અત્યારે જિલ્લામાં તીડના કોઈ અવશેષો નથી તીડ નિયંત્રણ વિભાગ દ્વારા 15 દિવસે કરાય છે સર્વે રાજસ્થાનમાં તીડ નિયંત્રણ ભાગે તીડને કંટ્રોલ કર્યા છે.આ અંગે જિલ્લા કલેક્ટર વરુણ બરણવાલે જણાવ્યુ હતું કે રાજેસ્થાન તીડના સમાચાર મળ્યા છે અત્યાર ની માહિતી પ્રમાણે ત્યાં કંટ્રોલ કરી દેવામાં આવ્યા છે. બનાસકાંઠામાં અત્યારે કોઈ પણ જાતનો તીડનો પ્રશ્ન છે જ નહીં જે રૂટિંનમાં દર વર્ષે સર્વે થાય છે એપ્રમાણે ટિમ સર્વે કરી રહી છે એમને પણ તીડ દેખાયા નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.