![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/11/Rakhewal-522.jpg)
કાંકરેજના કુંવારવા ગામ નજીક બે બાઇક અથડાતાં ચાલકનું મોત
પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના નાયતા ગામના ગૃહસ્થ રવિવારે કાંકરેજ તાલુકાના પાદરડી ગામે જોગણી માતાના દર્શન કરવા જઇ રહ્યા હતા. ત્યારે કુવારવા ગામ નજીક તેમના બાઇકને સામેથી આવતા બાઇક ચાલકે ટક્કર મારી હતી. જેમાં ગંભીર ઇજા થતાં ગૃહસ્થનું મોત થયું હતુ.આ અંગે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના નાયતા (પાલવીયાપુર)ના વિરાજી સહદેવજી ઠાકોર (ઉ.વ. 50) બાઇક નં. જીજે. 24. એફ. 8460 લઇને કાંકરેજ તાલુકાના પાદરડી ગામે જોગણી માતાના દર્શન કરવા માટે જઇ રહ્યા હતા.