દેશની રક્ષામાં તૈનાત ગામના ૧૬ વીર જવાનો સહિત દાતાઓનું સન્માન કરાયુ
વડગામ તાલુકાના નાવીસણા ગામે આઝાદી કા અમૃત મહોત્સવ ની અનોખી ઉજવણી કરી હતી. ત્રણ હજારની વસ્તી ધરાવતા નાવીસણા
ગામના યુવાનો માં મા ભોમની રક્ષા કરવાનો થનગનાટ જોવા મળી રહ્યો છે . નાવીસણા ગામના કુલ ૧૬ યુવાનો આર્મીમાં ફરજ બજાવી
રહ્યા છે જ્યારે આઠ નિવૃત થયા છે. અને દેશ ની સેવા માં બે યુવાનો શહિંદ થયા હતા દરમિયાન પોલીસ વિભાગમાં અલગ અલગ જગ્યા એ ૧૭ યુવાનો ફરજ બજાવી રહ્યા છે ત્યારે ૧૫ મી ઓગસ્ટે આ તમામ યુવાનોનું ગામ લોકો એ વિશિષ્ટ સન્માન કર્યું હતું જ્યારે બીએસએફ
ત્રિપુરામાં ડે. કમાન્ડર તરીકે ફરજ બજાવતાં ભીખુમીયા લુહાની તેમજ કાશ્મીર માં કંપની મેનેજર તરીકે ફરજ બજાવતા કેતનભાઈ જોશી
ખાસ માદરે વતન આવ્યા હતા. આ બન્ને નું ગામલોકો એ વિશિષ્ટ સન્માન કર્યું હતું આ પ્રસંગે વિવિધ ક્ષેત્રે ફરજ બજાવતા યુવાનોનું પણ
સન્માન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ મેઘરાજભાઈ પટેલ , જાગીરભાઈ લુહાની આચાર્ય પ્રવીણભાઈ પટેલ અને રામાભાઈ પ્રજાપતિ સહિત ગ્રામજનો એ સફળ બનાવ્યો હતો.