અંબાજી મંદિરમાં સોનાનું દાન લાખ 48 હજારની 558 ગ્રામની સોનાની 9 લગડીનું રાજકોટના માઇભક્તે ગુપ્તદાન કર્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું મા જગતજનની અંબાનું ધામ અંબાજી દેશ વિદેશમાં વિખ્યાત છે. ત્યારે માતાજીના ધામે અંબાજીમાં દરરોજ હજારોની સંખ્યામાં માઇભક્તો માતાજીના દર્શનાર્થે આવતા હોય છે. માતાજીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવતા હોય છે. તો સાથે સાથે યથાશક્તિ માતાજીના મંદિરમાં સોના ચાંદી દાગીના સહિત રોકડ રકમનું દાન પણ આપતા હોય છે.અંબાજી મંદિરમાં સોના ચાંદીનો અવિરત દાનનો પ્રવાહ સતત આવી રહ્યો છે. અંબાજી મંદિરમાં અનેકો માઇ ભક્તો સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમનું દાન કરતા હોય છે અને માતાજીના આશીર્વાદ મેળવતા હોય છે. આજે અંબાજી મંદિરમાં રાજકોટના એક માઇભક્તે સોનાનું ગુપ્તદાન કર્યું હતું. સોનાનું દાન કરેલી કુલ લગડી 9 છે. જેનું કુલ વજન 558 ગ્રામ છે. દાન આવેલા સોનાની કુલ કિંમત 33.48 લાખ છે. આજે મંદિરમાં રાજકોટના માઇભક્તે સોનાનો દાન કર્યું હતું. ત્યારે પોતાનું નામ ગુપ્ત રાખવાનો આગ્રહ કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.