બનાસકાંઠાના પાલનપુરમાં રહેતા દિવ્યાંગ કપલે પાણીપુરીનો વ્યવસાય શરૂ કર્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠામાં કોરોના મહામારીએ અનેક લોકોના ધંધા રોજગાર છીનવી લીધા હતા. અનેક એવા પરિવારો હતા જેઓની રોજગારી છીનવાઈ ગઈ હતી. રોજગારી છીનવાઈ જવાના કારણે પરિવારમાં મુશ્કેલી સર્જાઈ હતી. કોરોના કાળ દરમિયાન છુટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. સમય જતા પરિવારમાં મુશ્કેલીઓ સર્જાતા હવે પતિ પત્નીએ મળીને પાણીપુરીનો વ્યવસાય શરૂ કર્યો છે. પાલનપુરમાં રહેતા દિવ્યાંગ પતિ અને પત્નીએ શરૂ કરેલો પાર્લરનો વ્યવસાય પડી ભાંગ્યો હતો.અને પાર્લર બંધ થઈ જતા ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડી હતી. તેઓના પરિવારમાં પત્ની અને બે બાળકો છે. સમય વિત્યો છતા મુશ્કેલીનો સમય પસાર થતો ન હતો. તેવામાં પતિ પત્નીએ મળીને પાણીપુરીનો વ્યવસાય શરૂ કરવાનો વિચાર કર્યો હતો. આ વ્યવસાય શરૂ કરતા તેઓને હવે સારી આવક મળી રહી છે.પાલનપુરમાં રહેતા દિવ્યાંગ પતિ પત્નીએ મળીને પાલનપુર-અમદાવાદ હાઇવે પર પાણીપુરીની લારી શરૂ કરી છે. હાલ પાણીપુરીના વ્યવસાયથી સારી આવક મેળવી રહ્યા છે. પાલનપુર અમદાવાદ હાઇવે પર લોકો મોટી સંખ્યામાં પાણીપુરી ખાવા આવે છે. પાણીપુરીના વ્યવસાયથી મળતી આવકથી પરિવારનું ગુજરાન ચાલી જાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.