થરાદમાં મહાસફાઇ અભિયાન બાદ ગંદકી યથાવત
થરાદની નારણદેવી પ્રાથમિક શાળા પાસે છેલ્લા એક મહિનાથી ગટર ઉભરાઇ રહી છે. આ ગટરનો પાણી સીધુ શાળામાં આવે છે. શાળા પાસે જ આ ગટર ઉભરાતી હોવાથી શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો માટે તેની દુર્ગંધ અસહ્ય બની ગઈ છે. ગટરના આ પાણીના કારણે વિધાર્થીઓના આરોગ્ય જોખમાઇ શકે છે. માટે વહીવટી તંત્ર સવેળાએ આ ગટર રીપેરીંગ કરે તેવી લોકમાગ ઉઠી છે. થરાદના અભૂતપૂર્વ સફાઇ અભિયાનમાં અમદાવાદના 80 સફાઇ કામદારો તેમજ ઓફીસરો આવ્યા હતા. થરાદ તંત્ર પણ એલર્ટ હોવા છતાં અમુક વિસ્તારોમાં ગંદકી યથાવત રહી છે.