ખાટુશ્યામ બાબાનાં ભક્તો અંબાજી થી રાજસ્થાનના ખાટુશ્યામ બાબાના દર્શન કરવા પેદલયાત્રા કરશે

બનાસકાંઠા
બનાસકાંઠા

ભક્તો પોતાના આરાધ્ય ભગવાનની આરાધના અને ભક્તિ કરવા માટે અનેકો કષ્ટ ભોગતા હોય છે. અનેક ભક્તો સેંકડો કિલોમીટરની પેદલ યાત્રા કરી પોતાની ભક્તિનુ ઉદાહરણ આપતા હોય છે. દેશભરમાં અનેક એવા કિસ્સાઓ છે, જેમાં ભક્તો ભગવાનની ભક્તિ માટે તન મન ધન અર્પણ કરી ભગવાનની ભક્તિ માટે એક ઉત્તમ ઉદાહરણ પેશ કરતા હોય છે. એવો જ એક કિસ્સો જેમાં ભક્તિના રંગે રંગાયા ભક્તો આજે અંબાજી ખાતેથી ભગવાનનાં દર્શન કરવા પેદલ પ્રસ્થાન કર્યું હતું.આજે અંબાજીમાં ખાટું શ્યામ બાબાના ભક્તો સવારે અંબાજી મંદિરના સાત નંબર ગેટ આગળથી રાજસ્થાનના ખાટું શ્યામ બાબાના મંદિર દર્શન કરવા માટે પેદલ યાત્રાની શરૂઆત કરી હતી. બાબા ખાટું શ્યામના ભક્તોએ નાચતા ગાતા અંબાજીના માર્ગોથી પસાર થયા હતા, ત્યારે બાબા શ્યામની ધૂનમાં ભક્તો લીન જોવા મળ્યા હતા. આજે અંબાજીથી બાબા શ્યામના ભક્તો 560 કિલોમીટરની પેદલયાત્રાની શરૂઆત કરી હતી. આ પેદલયાત્રા 21 દિવસમાં પૂર્ણ થશે અને અંબાજીથી રાજસ્થાનમાં આવેલા ખાટું શ્યામ બાબા મંદિરમાં દર્શન કરી પરિપૂર્ણ થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.