અમદાવાદના ભક્તો 18 વર્ષથી નવા વર્ષે અંબાજી મંદિરમાં માતાજીને કેક ધરાવી ભક્તોને પ્રસાદ વહેંચે છે

બનાસકાંઠા
બનાસકાંઠા

શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું મા જગતજનની અંબાનું મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત છે. ત્યારે મા અંબાના ચરણોમાં શીશ નમાવા અને માતાજીનો આશીર્વાદ મેળવવા માટે દૂર દૂરથી માઇભક્તો મા અંબાના ધામે અંબાજી આવતા હોય છે. અંબાજીમાં અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભક્તો મોટી સંખ્યામાં ભાગ લેતા હોય છે અને તેમને સફળતાપૂર્વક અને ભક્તિ ભાવપૂર્વક પરિપૂર્ણ કરવામાં સહયોગ અને પોતાની ભક્તિ અને શ્રદ્ધા અનુસાર સફળ બનાવે છે.


દેશભરમાં નવ વર્ષની ઉજવણી અનેકો લોકો ધૂમધામથી કરતા હોય છે. ત્યારે મા અંબાના ભક્તોમાં અંબાના દર્શન અને આશીર્વાદ લઈને નવ વર્ષની શરૂઆત કરતા હોય છે. ત્યારે આજે અંબાજી મંદિરમાં અમદાવાદથી આવેલા માઇભક્તોએ નવ વર્ષની ઉજવણી કેક કાપીને કરી હતી. આજે મા અંબાના ચરણોમાં કેક ધરાવી અને તેમને પ્રસાદરૂપી ભક્તોને આપવામાં આવ્યો હતો.અમદાવાદના માઇભક્તો 18 વર્ષથી સતત દર નવ વર્ષમાં અંબાજી આવી અને પહેલી જાન્યુઆરીમાં અંબાના ચરણોમાં કેક ધરાવે છે. ત્યારબાદ મા અંબાના મંદિરમાં આવતા તમામ માઇભક્તોને આ કેક પ્રસાદરૂપી આપવામાં આવ્યો હતો. આજે 1લી જાન્યુઆરીએ મા અંબાના ચાચર ચોકમાં માઇભક્તોને કેક આપી નવ વર્ષની શરૂઆત કરી હતી. તો સાથે સાથે મંદિરમાં અમદાવાદના ભક્તોએ અગરબત્તી પણ ભક્તોને આપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.