વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે રાહુલ ગાંધીએ બોલેલા શબ્દોના વિરોધને લઈ પ્રદર્શન

બનાસકાંઠા
બનાસકાંઠા

દેશમાં અમુક નેતાઓની ગંદી રાજનીતિ અને લઈને અનેકવાર દેશભરમાં પ્રદર્શન થયા છે. જેમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અનેકો પાર્ટીઓમાં આ જોવા મળતું હોય છે. હાલમાં કોંગ્રેસના અગ્રણી નેતા રાહુલ ગાંધી દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ઓબીસીની બાબતને લઇ અશોભનીય નિવેદન કર્યું હતું. જેને લઇ રાજ્યભરમાં ભાજપના કાર્યકર્તાઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. જેને લઈને ગુજરાત રાજ્યના તમામ ભાજપ મંડળો આ અંગે રાહુલ ગાંધીએ બોલેલા શબ્દોના વિરોધને લઈ પ્રદર્શન કરી રહ્યા છે.

યાત્રાધામ અંબાજી ખાતે 51 શક્તિપીઠ સર્કલ ઉપર અંબાજી ભાજપ મંડળ બક્ષીપંચના કાર્યકર્તાઓ તેમજ અને ભાજપના અન્ય કાર્યકર્તાઓ સાથે મળી રાહુલ ગાંધીનું પૂતળાનું દહન કર્યું હતું. અંબાજી ભાજપના તમામ કાર્યકર્તાઓએ મળીને રાહુલ ગાંધી હાય હાયના નારા પણ લાગ્યા હતા. તો સાથે સાથે રાહુલ ગાંધી બોલેલા શબ્દો માટે પોતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે માફી માંગે તેવી માગ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.