બાદરપુરા(કા)ગામમાં ગ્રાંટના દુરુપયોગ થકી બનતા રસ્તાનું કામ અટકાવવા માંગ

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર તાલુકાના બાદરપુરા(કા)ગામમાં ઘણા સમયથી વરસાદી પાણી ભરાવવાની મોટી સમસ્યા છે. જે બાબતે સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ તેઓએ અનેક રજૂઆતો લેખિત તથા મૌખિક કરી હતી. ત્યારબાદ આ વિસ્તારના ગર્ભશ્રીમંત રહેવાસી મુંબઈ ખાતે મોટા ઉદ્યોગ વેપાર ધરાવે છે તેમનો વિશાળ બંગલો આ રોડ ઉપર આવેલ છે. જેઓએ તેમની રાજકીય વગ અને પૈસાની લાગવગશાહીનો
ઉપયોગ કરી આ વિસ્તારમાં રોડ બનાવવા રૂ.૧૩ લાખની ગ્રાન્ટ પાસ કરાવી  હતી. તેઓએ પોતાની ઈચ્છા અને અનુકૂળતા મુજબ સરકારી ગ્રાન્ટનો દૂરપયોગ કરવા ૧૫ ફૂટનો રસ્તો તેમના બંગલા પાસેથી બનાવવા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ યાસીનભાઈ બંગલાવાળાને સાથે રાખી આ ગ્રાંટ પાસ કરાવનાર બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન મુમતાજબેનની આ ગ્રાંટનું કામ તેમના મળતીયા કોન્ટ્રાક્ટરને અપાવ્યુ હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. રાજકીય ખીલે કૂદતા કોન્ટ્રાક્ટરે બંગલા પાસે રસ્તાની ઊંચાઈ વધારે ઊંચી કરાવી વધારાનો ઢાળ પડાવી અન્ય રહીશોના રહેઠાણ તરફ નીચાણવાળો ભાગ રાખી રહીશોને નુકસાન પહોંચે તેવું રસ્તાનું કામ ચાલુ કરેલ હોવાના ગંભીર આક્ષેપો સાથે અસરગ્રસ્ત રહીશોએ સરકારી ગ્રાંટની દુરૂપયોગ કરી જાહેર હિતને કોરાણે મૂકી એક વ્યક્તિને લાભ પહોંચાડવા બની રહેલા રોડનું કામ સત્વરે અટકાવી દેવા ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી ઉચ્ચસ્તરીય તપાસ કરાવવાની માંગ કરાઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.