દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારીની બદલીની માંગ

બનાસકાંઠા
બનાસકાંઠા

દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારી અંકિતાબેન ઓઝાની તાત્કાલિક અસરથી બદલીની માંગને લઈને તલાટી કમ મંત્રી એસોસિયેશન હડતાળમાં જાેડાયુ છે ત્યારે આજે ડીસા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારી અંકિતાબેન ઓઝા દ્વારા દાંતીવાડા તલાટી કમ મંત્રીઓને ખોટી રીતે હેરાન પરેશાન કરીને પોતાની આર્થિક માંગણીઓ ન સંતોષાતા બે તલાટી કમ મંત્રીના ઈજાફા અટકાવીને તલાટી કમ મંત્રીઓને બાનમાં લેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેને લઈને તલાટી કમ મંત્રી એસોસિયેશન દ્વારા હડતાલમાં જાેડાવાની ફરજ પડી છે અને દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારીની જિલ્લા બહાર બદલી કરવાની માંગ કરવામાં આવી હતી જાે તારીખ ૩/૭/૨૦૨૨ સુધીમાં દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારીની બદલી કરવામાં નહી આવે તો તારીખ ૪/૭/૨૦૨૨ ના રોજ બનાસકાંઠા જિલ્લાના તમામ તલાટી કમ મંત્રીઓ એકત્રિત થઈ પાલનપુર ગલબાકાકા ચોકથી રેલી કાઢી જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી ધરણાં પર બેસી ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.