ધાનેરા તાલુકાના શેરગઢ ગામે વીજળી પડતા પશુનું મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ધાનેરા : ધાનેરા તાલુકામાં રવીવારે રાત્રીએ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો જેમાં શેરગઢ ગામે વીજળી પડતાં ગૌસ્વામી જીતનાથ કેશનાથના એક પશુનું મોત થયું છે. અંદાજીત ૫૦ હજારની આ ભેંસ હોવાનું ખેતર માલિક જણાવી રહ્યા છે. આ અંગે શેરગઢ ગામના સરપંચને જાણ થતાં સરપંચ દ્વારા તંત્રને જાણ કરાઈ છે. આજ રીતે ધાનેરા તાલુકાના ચારડા ગામે પણ ખુલ્લા ખેતરમાં વરસાદની સાથે વીજળી પડી હતી. જોકે ખેતરમાં પશુઓ કે અન્ય કોઈ ચીજવસ્તુઓને નુકસાન થયું નથી પરંતુ ખેતરમા ઉભેલા લીમડાના ઝાડ ઉપર વીજળી પડતાં તેની એક બાજુની છાલ ઉખડેલી નજરે પડી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.