બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા અને સીપુ ડેમના તળીયા દેખાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ દાંતીવાડા :ઉનાળામાં બનાસકાંઠા જિલ્લામાં પાણીની વિકટ સ્થિતિ દાંતીવાડા, પાલનપુર અને ડીસા તાલુકાના ૮૭ ગામો અને ૩૯ પરામાં પીવા માટે પુરું પાડવામાં આવશે. બનાસકાંઠાનો દાંતીવાડા ડેમ ૧૯૬૫ માં બનાવવામાં આવ્યો હતો. જેમાંથી બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ૧૧૧ ગામોને સિંચાઇ માટે પાણી પુરું પાડવામાં આવે છે. પરંતુ આ વર્ષે ઓછા વરસાદને લઇ ડેમમાં પાણી ઓછું થઇ ગયું હતું. ડેમની કુલ સપાટી ૬૦૬, ભયજનક સપાટી ૬૦૪ અને હાલની સપાટી ૫૩૦.૧૦ છે.જિલ્લાના મુખ્ય બે ડેમ દાંતીવાડા અને સીપુ જિલ્લાના વિસ્તારના લોકો માટે પાણીનો મુખ્ય સ્ત્રોત હોઈ આ વર્ષે ઉનાળાના મધ્યાહ્ને જ આ ડેમના તળિયા દેખાતા ખેડૂતો અને બનાસકાંઠાવાસીઓ ચિંતામાં મુકાયા છે. ડેમમાં તળિયા દેખાતા ભુગર્ભ જળ પણ ઉંડા ગયા છે અને પીવાના પાણી માટે પણ કપરી પરિસ્થિતિ સર્જાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી છે. બનાસ નદી પર આવેલો દાંતીવાડા ડેમ અને સીપુ નદી પર બાંધવામાં આવેલો સીપુ ડેમ આ જિલ્લાના પાણીના મુખ્ય સ્ત્રોત છે. પરંતુ આ વર્ષે બન્ને ડેમના તળિયા દેખાઈ રહ્યા છે.
હજુ ઉનાળાને ઘણો સમય બાકી છે અને અત્યારથી જ ડેમના તળિયા દેખાતા જિલ્લાના લોકો અને ખાસ ખેડૂત ચિંતામાં પડયો છે. દાંતીવાડા અને સીપુ ડેમમાં તો સ્થિતિ એવી ઉભી થઈ છે કે હવે ડેમના દરવાજા તેમજ નહેરના દરવાજાખોલી દેવામાં આવે તો પણ પાણી નદીમાં કે નહેરમાં જઈ શકે તેમ નથી.વિકટ પરિસ્થિતિમાં પાણીની મહામારી ન સર્જાય તે માટે જે પાણી ડેમમાં પડયું છે તેનો સંગ્રહ કરવામાં આવ્યો છે.પરંતુ વધુ વરસાદ ખેંચાય તો પાણી પુરવઠા યોજના દ્વારા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પીવા માટે આપવામાં આવે છે તેના પર પાણીની કટોકટી સર્જાય તેવી ભીતી છે.બનાસકાંઠા જિલ્લામાં આવેલા પુર બાદ ડેમ છેલ્લા ૨ વર્ષથી ભયજનક સપાટી સુધી પાણી પહોંચ્યું નથી. જેના કારણે આ વિસ્તારના ભુગર્ભ જળના તળ પણ ઉંડા ગયા છે. જો આ વર્ષે સારો વરસાદ ન થયો તો આ જે વિસ્તારમાં ડેમ છે તે વિસ્તારમાં પણ પીવા પાણીને લઈ સમસ્યા ઉભી થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.