ડી.જે.ના સંચાલકોએ આર્થિક સહાયની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર
કોરોના વાયરસના પગલે આર્થિક ભીંસમાં આવેલા ડી.જે.ના સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. જેમણે શુક્રવારે સરકાર દ્વારા સહાય કરવામાં આવે તે માટે પાલનપુરમાં જિલ્લા કલેક્ટરને રજુઆત કરી આર્થિક પેકેજ આપવામાં આવે તેવી માંગ કરી હતી.
કોરોના વાયરસના પગલે મોટાભાગના ધંધા રોજગાર પડી ભાગ્યા છે. જેના કારણે લોકોની હાલત કફોડી બની છે.તો કેટકાલ લોકો હતાશ બની ન ભરવાનું પગલુ ભરતા હોય છે. તેવી સ્થિતી ડી.જે.ના સંચાલકોની જોવા મળી રહી છે.
કોરોનાના સમય દરમીયાન લગ્નની સીઝન પુરી થઇ અને કોરોનાના કારણે ધંધારોજગાર બંધ હોવાના કારણે ડી.જે.ના સંચાલકોની હાલત કફોડી બની છે.જેના પગલે સરકાર દ્વારા ડી.જે.ના સંચાલકોને આર્થિક સહાય કરવામાં આવે તે માટે જિલ્લા કલેક્ટરને રજુઆત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આર્થિક ભીંસમાં આવેલા બે સંચાલકોએ આપધાત કરવાનો પ્રયાસ કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.